પ્યારાં ભાવનગરવાસીઓ
નમસ્કાર.
મારાં મનમાં ભાવનગર શહેર અને જિલ્લાને પાણીથી રેલમછેલ્ બનાવવાની કેટલીક યોજનાઓ બેઠી છે. જે આપ સહુનાં સમક્ષ મૂકું છું.
ભીકડા કેનાલ ઉપર મારી ઈકો ફ્રેન્ડલી વાડી છે. અહીં પરમાર્થીઓને આવકારતાં આનંદ થાય છે. આ વાડીમાં નવેમ્બર માસથી પાણીનું ટીપુંય નથી, મુશ્કેલીનો પાર નથી. જો કે વાડીમાં વરસાદનાં પાણીનો સંગ્રહ છે. રામ કૃપાથી પીવાનાં પાણી માટે અને પરબનાં પાણી માટે ચિંતા નથી.
રામનું નામ લેતા લેતા આ વિસ્તારને પીવાનું અને ખેતીનું પૂરતું પાણી કેમ મળે તે અંગેના વિચારો સ્ફૂરવા લાગ્યાં.
કેટલીક યોજનાઓ ધ્યાને આવી.
આ યોજનાઓ માત્ર શેન્ત્રુજી ડેમના હેઠવાસ માટે જ છે તેમ વિચારતો હતો. પરંતુ વધુ વિચારતા સમજાયું કે આ યોજનાઓથી તો ભાવનગરવાસીઓ માટે પાણીની રેલમછેલ્ સમાન છે.
મારાં મનમાં બેઠેલી યોજનાઓમાં પૈકી, દહેજ ઘોઘા દરિયામાં પાણીની પાઈપ લાઈનવાળી યોજના તો કમાલની યોજના છે.
આ યોજના થકી માત્ર ભાવનગર જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના જળાશયો ભરી શકાય. આ યોજના ખૂબ સસ્તી અત્યંત સરળ અને ટૂંકાગાળામાં પૂર્ણ કરી શકાય તેવી છે.
પ્રબુદ્ધ અને પ્યારાં ભાવનગરવાસીઓ વિચારો. રામનું નામ લો... પ્રાર્થના કરો.
સલામ - અભિનંદન: તાજેતરમાં જ ઘોઘા દહેજ દરિયા માર્ગે પુલ બનાવવાની યોજના વિશે સમાચારપત્રમાં વાંચ્યું. આનંદો. વિચારકમિત્રોને સલામ. આ માટે મારી પણ પ્રાર્થના છે.
----
પાણી માટે એક નહિ પણ અનેક યોજનાઓ થઇ શકે તેમ છે.
(૧) પાલીતાણા શેત્રુંજી ડેમનું પાણી છલકાય ત્યારે તે પાણી ભીકડા કેનાલમાં અને ત્યાંથી બોરતળાવમાં લાવી શકાય. આ માટે બે યોજના શક્ય છે.
- શેત્રુંજીની ભીકડા નજદીકની કેનાલને માત્ર પાંચ દશ કિલોમીટર સુધી લંબાવી તેમાં પાણી લાવી તેને ભીકડા ડેમમાં અને ત્યાંથી બોર તળાવમાં લાવી શકાય.
- શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેરને પાણી પૂરું પાડતી ત્રણ પાઈપ લાઈન મોજુદ છે. બે તદન બિન ઉપયોગી છે. તેનો ઉપયોગ કરી તેમાં પાણી લાવી ભીકડા ડેમમાં અને ત્યાંથી બોર તળાવમાં લાવી શકાય.
(૨) સિદસર પાસેથી પસાર થઈને પાણીનું ટીપું પણ આપ્યા વિના બીજા જિલ્લામાં/ ઉદ્યોગમાં માટે લઇ જવાયેલ ખૂબ જ મોટી પાઈપ લાઇનનું પાણી બોરતળાવમાં અને અન્યત્ર આપી શકાય.
(૩) દહેજ પાસે દરિયામાં જતું નર્મદા મૈયાનું પાણી ઘોઘા કાંઠે લાવવામાં આવે. સરકાર દરિયામાં હજારો કિલોમીટરની પાઈપ લાઈન નાખી આરબ દેશોનું ક્રુડ ઓઈલ ગુજરાત કાંઠે લાવવાની છે. આ રીતે જ દરિયામાં માત્રને માત્ર વીસેક કિલોમીટરની પાઈપ લાઈન નાખી દહેજ પાસેથી દરિયામાં જતું નર્મદા મૈયાનું પાણી ઘોઘા કાંઠે લાવી શકાય. ઘોઘા કાંઠેથી પાણી સમગ્ર જિલ્લાને આપી શકાય.
આભાર.
No comments:
Post a Comment