08 May 2017

ભાર વિનાનું દફતર - ભાવનગરની શૈક્ષણિક સંસ્થાઓની આગવી પહેલ




ભાર વિનાનાં દફતર અંગેની એક બેઠક ભાવનગરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ (spei)મા તા. ૦૫-૨૦૧૭નાં રોજ યોજાઈ ગઈ.
આ બેઠક અનેક રીતે આગવી પહેલ સમાન બની રહી.
  • બેઠક અગ્રણી સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ spei દ્વારા આયોજિત હતી.
  • બેઠકમાં અન્ય નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, સમન્વય, P4P, આચાર્યસંઘ, અન્ય નામાંકિત સંસ્થાઓ અને જાગૃત વાલીઓ જોડાયા હતાં.
  • બેઠકને ગુજરાતનાં નામાંકિત બાલરોગ નિષ્ણાત ડૉ.આઈ કે વીજળીવાળાસાહેબે માર્ગદર્શિત કરી હતી. આંતરરાષ્ટ્રીય હકીકતો, સંશોધનો અને જાત અનુભવ ભરેલી કહાની ખૂબ જ હૃદયદ્રાવક બની રહી.
  • વીજળીવાળાસાહેબે અનેક દેશોનાં મજુરોએ વહન કરવાનાં ભાર અંગેના ધોરણો જણાવ્યાં. કમનસીબી અને કરુણતા એ છે કે આપણા બાળકો વય મુજબ મજુરો કરતાં પણ વધુ વજનનાં દફતરનો ભાર વહન કરી રહ્યાં છે.
  • લોકભારતી સણોસરાનાં ડૉ અરુણભાઈ દવેની ઉપસ્થિતિ વિશેષ બની રહી. તેઓએ દફતરનો ભાર ઘટાડવાની પહેલને આવકારી. દિશાદર્શન સાથે તમામ સહયોગની ખાતરી આપી.
  • સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ speiનાં સંવેદન ટ્રસ્ટી શ્રી જાગાણીસાહેબ અને સંસ્થાની કટિબદ્ધતાએ સહુ કોઈને ખૂબ પ્રોત્સાહિત કર્યા.

બેઠકની ફલશ્રુતિ
  • ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ- spei અને બીજી પાંચેક સંસ્થાઓએ ખુલતા વેકેશનથી ભાર વિનાનાં દફતર અંગે પોતાની કટિબદ્ધતા દર્શાવી.
  • સંચાલક મંડળના પ્રયાસોથી ટૂંક સમયમાં ભાવનગરની નામાંકિત સંવેદનશીલ સંસ્થાઓ જોડાશે.
  • પ્રચાર અને પ્રસાર માટે ડૉ.આઈ કે વીજળીવાળાસાહેબ પોતે એક ડોક્યુમેન્ટરી બનાવી આપશે.
  • પ્રચાર અને પ્રસાર માટે એક પુસ્તિકા / પેમ્ફલેટ તૈયાર કરવાનું નક્કી થયું.  

વિશેષમાં
  • અમરેલી જીલ્લાની ધારી તાલુકાની એક પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાએ દફતર મુક્ત શાળા બનાવવાનો સંકલ્પ જાહેર કરેલ છે.
  • ભાવનગરના તળાજા તાલુકાની એક માધ્યમિક શાળાનાં આચાર્યશ્રીએ પોતાની શાળામાં દફતરનો ભાર ઘટાડવા બાર ધોરણ સુધી સ્લેટ પેનના પ્રયોગની સફળ કહાની પ્રસ્તુત કરી.
  • ભાવનગર પેન્શનર મંડળે ઉપવાસમાં જોડવાની ખાતરી આપી.
સહુનાં સહિયારા પ્રયાસથી ચારે દિશાએથી શુભ સમાચાર મળી રહ્યાં છે.

No comments:

Post a Comment