(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)
હડસનનાં કાંઠે જર્સી સિટીની નજદીકમાં સ્ટીવન્સ નામની એક કોલેજ આવેલી છે. કાંઠા ઉપરનાં ટેકરા ઉપર આવેલી આ યુનિવર્સીટીનાં વિધાર્થીઓ કેટલાં સુંદર માહોલમાં ભણતાં હશે!
હડસનનાં કાંઠે જર્સી સિટીની નજદીકમાં સ્ટીવન્સ નામની એક કોલેજ આવેલી છે. કાંઠા ઉપરનાં ટેકરા ઉપર આવેલી આ યુનિવર્સીટીનાં વિધાર્થીઓ કેટલાં સુંદર માહોલમાં ભણતાં હશે!
ઉનાળાના દિવસોમાં હડ્સનનાં કાંઠે માનવોની સવાર-સાંજ ભીડ હોય. ભીડ વચ્ચે પણ શાંતિનો અહેસાસ થાય. અહીં કોઈ એકબીજાને ખલેલ પહોંચે તેમ મોટેથી બોલતાં નથી, અત્યંત ધીમે બોલે. મોબાઈલ ઉપર પણ બહું ધીમેથી વાતો કરે. સહુકોઈ શાંતિ રાખવાં જાગૃતપણે પ્રયાસ કરતાં નજરે પડે. મોટેથી બોલવું તે અહીં અશિસ્ત અને અમાનવીય ગણાય છે.
કાંઠે પહોચીને તાશી ખુશખુશ થઇ જાય. રસ્તામાં અને કાંઠે પણ અમારાં તાશીબેનની ચીચીયારીનો તો કોઈ પાર નહિ. એનાં મસ્તી ભરેલાં અગડમબગડમ ગીતો સહુનું ધ્યાન ખેંચે. સહુ હસીને તાશીને વધાવે. તાશીબેનની ચીચીયારી એટલી મોટી હોય કે ન્યૂયોર્કથી બોટમાં આવી રહેલી તેની માને પણ તે ક્યારેક દૂરથી સંભળાય. આ કાંઠો તે મા-બેટીના સાંજના મિલનનું મીઠું મધુરું સ્થળ. થોડીવાર થાય ત્યાં તાશીના પિતાજી પણ આવે. આ હડસન નદી તાશીને કેવી મીઠી લાગતી હશે! તેના અજાગૃત મન ઉપર તેની જિંદગીભર હકારાત્મક અસર રહેવાની. અમને બધાને તાશી તેનું બાળપણ મસ્તીથી માણી રહ્યાનો અનેરો આનંદ છે. તેનો મીઠોમધુરો ઓડકાર આવી રહ્યો છે..
મને આમેય ઓડકાર ખાવાની ભારે ટેવ. ખાતા ખાતા કે ખાધા પછી ઓડકાર તો આવે જ. આપણા માટે ઓડકાર ખાવો તે પરિતૃપ્ત થયાની નિશાની. પણ અમેરિકામાં ઓડકાર ખાવો તે અસભ્યતા ગણાય છે. હું ગમે તેટલી કાળજી રાખું તોય ક્યારેક તો ભૂલમાં ઓડકાર ખવાય જ જાય. ઓડકાર સાંભળી આસપાસમાં બેઠેલાંઓનું મોઢું બગડી જાય. આપણાથી દૂર ચાલ્યા જાય. અમેરિકનો આ વાતે નોખી ભાતના છે. તેની કેટલીક વાતો સમજવી મુશ્કેલ છે.
16મી જુલાઈ, 2014 નાં રોજ મુંબઈથી નાના દિકરા વૈભવના ઘરેથી યુનાઇટેડ એરલાઈંસમાં રાત્રીના સવા અગિયાર વાગે અમેરીકાનાં ન્યૂઆર્ક એરપોર્ટ જવા નીકળેલાં. નોનસ્ટોપ 15 કલાકની મુસાફરી. આ 15 કલાકમાં તો પૃથ્વીના બીજા ગોળાર્ધમાં પહોંચી ગયાં.પાતાળમાં પહોંચી ગયાં.
અમેરીકાનાં આ પ્લેનમાં પણ અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ સુચના આપવામાં આવે છે. તેથી વળી પાછો નજદીકના ભૂતકાળમાં સરી પડ્યો.
અમે અમેરિકા જવા ભાવનગરથી નીકળ્યાં તે પહેલાં પોરબંદરમાં, સાંદીપની વિદ્યાનિકેતમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મને ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનવામાં આવેલ. ત્યાં મેં ‘ભાર વિનાનું ભણતર’ એ વિષય ઉપર એક પ્રવચન આપેલું. તેમાં પ્રત્યેક વિક્ષિત દેશમાં તેનું શિક્ષણ તેની માતૃભાષામાં જ આપી રહી છે તેની વાત ભારપૂર્વક જણાવેલી.
સન્માન વખતે મને ખુશી એ વાતની થઇ કે પૂજ્ય ભાઈશ્રીએ પણ માતૃભાષામાં ભણતરને બહું જરૂરી ગણાવ્યું. આને હું માતૃભાષાને મળેલાં મોટા આશીર્વાદ સમજુ છું. સંતોની દ્રષ્ટિ બહું લાંબુ જોઈ શકે છે અને તેમની વાત લોકો સહજ રીતે સ્વીકારી લે છે.
મે સાંદીપની વિદ્યાનિકેતમાં દફતરના અસહ્યભારની વાત પણ ઠોસપૂર્વક કરી હતી. અમે જયારે મુંબઈ પહોંચ્યા ત્યારે NDTV ચેનલ ઉપર દેશના મોટા શહેરોમાં બાળકો ઉપર દફતરનો કેવો કારમો ભાર છે તે વિગતે દર્શાવવામાં આવી રહ્યું હતું. સાથોસાથ ચેનલ દ્વારા શિક્ષણશાસ્ત્રીઓ અને ડોક્ટરોનાં અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યાં હતાં. આ બધા જ એકી અવાજે દફતરના ભારને વખોડી રહ્યાં હતાં. તેને અમાનવીય, અવૈજ્ઞાનિક અને ઘાતક ગણાવી રહ્યાં હતાં.
કેરાલા હાઇકોર્ટે KGમાં લેવામાં આવતી પરિક્ષા અને હોમવર્ક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મે આ ચુકાદા અંગે સમાચારપત્રમાં આવેલા લેખની 20.000 પત્રિકા છપાવી છે અને વહેંચી રહ્યો છું. અમે ગિજુભાઈ બધેકાએ સ્થાપેલાં ‘નૂતન બાલ શિક્ષણ સંઘ’નાં મિત્રો ‘દફતર વિહિન બાલમંદિર’નું અભિયાન ચલાવી રહ્યાં છીએ. તેમાં આ ચુકાદાએ અમૃતસમું કામ કર્યું છે.
હવે આ કેરાલા હાઇકોર્ટનાં આ આદેશને સમગ્ર દેશમાં લાગુ પાડવા માટે સુપ્રીમકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.
આપને નવાઇ લાગશે કે સુપ્રીમકોર્ટમાં પણ આ કેસ ભારતદેશનાં 15,000 બાળરોગ નિષ્ણાંત ડોક્ટર્સનું એસોસિએશન જ લડી રહ્યું છે. ડોક્ટર્સ એસોસિએશનની આ માંગણી સંપૂર્ણપણે મનોવિજ્ઞાન, શરીરશાસ્ત્રને અનુરૂપ અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની છે. પ્રગતિશીલ દેશોમાં આ ધારાધોરણે જ શિક્ષણ કાર્ય થઇ રહ્યું છે, જયારે આપણે તો બાલમંદિરથી જ કાળોકેર વર્તાવી રહ્યાં છીએ. દેશનું ભાવી ખુબ દુઃખદ છે.
સુપ્રિમકોર્ટનો ચૂકાદો દેશનાં કરોડો બાળકોનાં બચપણ બચાવશે. બાળકોને કાળાકેરમાંથી બચાવશે. બાળકોની મરી જતી કુદરતી સર્જનશક્તિ બચી જશે. બાળક રોબોટ બનતો પણ બચી જશે. દેશનું ભાવી પણ યોગ્ય રીતે ઘડાશે અને ભારતની સુગંધને ફરી ઉજાગર થશે. આપણે સહુએ સુપ્રીમ કોર્ટનાં આદેશ માટે પ્રાર્થના કરવી જરૂરી છે. તેમાં આપણા સહુનું હિત છે.
અમેરિકા આવ્યાં તે દિવસોમાં મુંબઇ સમાચારપત્રમાં મુંબઈનો ગુજરાતી સમાજ પણ ગુજરાતી માતૃભાષા પ્રત્યે જાગૃત બની રહ્યાના સમાચાર હતાં. દેશની સંસદમાં UPSCમાં લેવાતી પરીક્ષામાં અંગ્રેજીને જ પ્રાધાન્ય અપાઇ રહ્યાનું અને તે સિવાયની અન્ય ભાષાઓને અન્યાય થઇ રહ્યાની વાત બાબતે ભારે ધાંધલધમાલ મચી હતી. આ બધું બહું દુઃખદ છે.સમગ્ર દેશ ગુલામી માનસમાંથી બહાર આવે તે ખૂબ જરૂરી છે.
No comments:
Post a Comment